કુદરતની કિતાબમાં હિસાબ ચોખ્ખા છે કરે તેવું પામે દેર હૈ પર અંધેર નહીં : આ. યશોવર્મસૂરીજી
વાવેલું ઉગે એની કોઈ ગેરંટી નથી. બેંકને પાર્ટી ઘણી ઉઠી ગઈ છે. એટલે વ્યાજ મળે એ નક્કી નથી. રે!.. મુદ્દલ પણ ન આવે એવું ય બને છે.પણ.. જૈન આગમ સૂત્રોએ ને આપણા ધર્મ સૂત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે “કડાણ કમ્મણા નથી મોખ્ખો” નિકાચિત કર્મો ભોગવ્યા વગર કોઈનો છૂટકો નથી. જેવું કરો તેવું પામો. 32 વર્ષે જ્યારે દિકરી કુંવારી રહી ત્યારે એક દિવસ એ બોલી બાપા! ગામની ઘણી છોકરી ના થતા તમે અટકાવ્યા એનું ફળ છે. કે.. તમારી દીકરી આજે ઘેર બેઠી છે. સુરત – વેસુ – જોલી રેસીડેન્સી સંઘ દેરાસર અંજન પ્રતિષ્ઠાચાર્ય સંઘ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજા વિદ્ધદ્ધર્ય પૂ.આ.ભાગ્યયશ સૂ. મ. આ.હ્રીંકારયશસૂ. મ. સ્વામી ઈશ્વર ભારતી બીપીન મહેતા હાઉસથી સાજન – માજન સાથે ભવ્ય સામૈયું કરી જોલી સંઘે ગુરુ ભગવંતોને આવકારાને ભક્તિ ઘેલા બની મન મૂકીને નાચ્યા હતા ને તરત જ વિશાલ હોલમાં પ્રવચન સભા થઈને પૂજ્ય ગુરુદેવશ્રી એ હજારો પરાંત આંખો છલકાઇ ઊઠે એવી અદભુત પ્રવચન વાણી વહાવી હતી.દ્રવ્યસમર્પણના સુંદર ચડાવા થયા હતા.મંગળવારે સવારે ૬:૪૫ ક.શક્રસ્તવ અભિષેક ૯:૧૫ ક.પ્રવચન સાંજે ૬:૪૫ ક.સંધ્યાભક્તિ દેરાસરમાં થશે.તા.૨૦ પુષ્યમાંગલિક જાપ રાજહંસ એલીટા પાલ વિસ્તારમાં રહેશે. સવારે ૯ ક. ૐકારસૂરી આરાધના ભવનથી સામૈયા સાથે પ્રવેશને ૯:૩૦ ક. પ્રવચનને નવકાર જાપ સંગીત સાથે થશે.દેશના અનેક પ્રદેશથી સાધકો – ભક્તો પધારશે.તા.૨૧ પાલ વેસ્ટર્ન શત્રુંજય સોસા.માં પ્રવેશ પ્રવચન સવારે ૭:૧૫ ક.રહેશે.તા.૨૨ અડાજણ રાંદેર રોડ સંઘ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરે ૭:૩૦ ક.પ્રવેશ વાજતે ગાજતે થશે ને પ્રવચન થશે.અનેક સમુદાયના ગુરુભગવંતો ગુરૂભક્તો – શ્રી સંઘો સાથે પૂ.ગુરુદેવશ્રીના ૭૧ માં જન્મદિનની ઉજવણી છ ગાઉ ભાવયાત્રા – પાલમાં સાધર્મિક ભક્તિ થશે.તા.૨૩માર્ચના દિવસે